અમીરગઢના ધનપુરા ગામમાં આઝાદીથી આજદિન સુધી ફક્ત બે વાર ચૂંટણી યોજાઈ

વડીલો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ વખતે પણ સરપંચ-સભ્યોની નિમણૂક
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું ધનપુરા ગામ આઝાદી પહેલાથી સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ ગામમાં આઝાદીથી આજ દિન સુધી ફક્ત બે વાર ચૂંટણી યોજાઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે ગામના લોકો એકત્ર થાય છે. તેઓ ગામમાંથી સાત વ્યક્તિઓની પસંદગી કરે છે. આ સાત વ્યક્તિઓમાંથી એક સરપંચ, એક ઉપસરપંચ અને પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.આ વર્ષે પણ સર્વાનુમતે સરપંચ તરીકે શ્રવણજી બાબુજી ચૌહાણ અને ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ મફાજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. સભ્યો તરીકે પારુબેન પ્રતાપજી ઠાકોર, આરતીબેન કુચાવાડિયા, સુરેશભાઈ કુચાવાડિયા, કોકિલાબેન વાલેરા અને સૂર્યાબેન ખોડાજી ચૌહાણની વરણી કરવામાં આવી છે. આ સમરસ પ્રક્રિયાથી ગામમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહ્યું છે. સરપંચ અને ઉપસરપંચની નિમણૂકથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામો સમરસ થઈ રહ્યા છે, જેમાં ધનપુરા ગામ નો પણ સમાવેશ થયેલ છે.
ટેગ્સ:#Banaskantha District#Amirgarh Taluka#Gram Panchayat Elections#Political Participation#Community Harmony#Dhanpura Village#Unanimous Consent#Sarpanch Appointment#Upsarpanch Appointment#Village Unity#Samaras Process
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
