જૂનાડીસા ગામ હંમેશા સામાજિક સુમેળ અને કોમી એકતા માટે ઓળખાય છે, અને આ વર્ષે પણ ઈદના પર્વે તેની અનોખી પરંપરા જીવંત જોવા મળી હતી. હિન્દુ સમાજના આગેવાનો દિલીપભાઈ બારોટ, ગામના સરપંચ અમૃતભાઈ પુનડીયા, દિનેશભાઈ દરજી, સુરેશભાઈ માળી, નવીનભાઈ જોષી અને ભાવેશભાઈ માળી સહિતના આગેવાનોએ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે “એકતા જ આપણી તાકાત છે” એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજના અગ્રણી ફારુકભાઈ દાણી, મોઈનભાઈ સિંધી, રહેમતુલ્લાભાઈ, ઈકબાલભાઈ, અસલમ ઘાસુરા (એલઆઇસી), ઝુલ્ફીકાર ચાવડા (એડવોકેટ), ઈશરતભાઈ પરમાર (સામાજીક અગ્રણી) અને અયાઝભાઈ ઘાસુરા સહિતના આગેવાનોએ હિન્દુ સમાજ તરફથી મળેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગામમાં હંમેશા શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તેવી દુઆ પણ કરી હતી.
તહેવાર દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આમ, જૂનાડીસામાં ઉજવાયેલ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર માત્ર ધાર્મિક આનંદ પૂરતો સીમિત ન રહી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ બની સમગ્ર પંથકમાં ભાઈચારા અને સૌહાર્દનો સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો હતો.
બનાસકાંઠા21 માર્ચ, 2026
જૂનાડીસામાં ઈદ-ઉલ-ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી : હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ પ્રસર્યો

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. ગામની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જ્યાં વિશેષ નમાજ અદા કરી ગામની શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી. નમાજ બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવતા ભાઈચારાનો માહોલ સર્જાયો હતો.
જૂનાડીસા ગામ હંમેશા સામાજિક સુમેળ અને કોમી એકતા માટે ઓળખાય છે, અને આ વર્ષે પણ ઈદના પર્વે તેની અનોખી પરંપરા જીવંત જોવા મળી હતી. હિન્દુ સમાજના આગેવાનો દિલીપભાઈ બારોટ, ગામના સરપંચ અમૃતભાઈ પુનડીયા, દિનેશભાઈ દરજી, સુરેશભાઈ માળી, નવીનભાઈ જોષી અને ભાવેશભાઈ માળી સહિતના આગેવાનોએ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે “એકતા જ આપણી તાકાત છે” એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજના અગ્રણી ફારુકભાઈ દાણી, મોઈનભાઈ સિંધી, રહેમતુલ્લાભાઈ, ઈકબાલભાઈ, અસલમ ઘાસુરા (એલઆઇસી), ઝુલ્ફીકાર ચાવડા (એડવોકેટ), ઈશરતભાઈ પરમાર (સામાજીક અગ્રણી) અને અયાઝભાઈ ઘાસુરા સહિતના આગેવાનોએ હિન્દુ સમાજ તરફથી મળેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગામમાં હંમેશા શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તેવી દુઆ પણ કરી હતી.
તહેવાર દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આમ, જૂનાડીસામાં ઉજવાયેલ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર માત્ર ધાર્મિક આનંદ પૂરતો સીમિત ન રહી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ બની સમગ્ર પંથકમાં ભાઈચારા અને સૌહાર્દનો સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો હતો.
જૂનાડીસા ગામ હંમેશા સામાજિક સુમેળ અને કોમી એકતા માટે ઓળખાય છે, અને આ વર્ષે પણ ઈદના પર્વે તેની અનોખી પરંપરા જીવંત જોવા મળી હતી. હિન્દુ સમાજના આગેવાનો દિલીપભાઈ બારોટ, ગામના સરપંચ અમૃતભાઈ પુનડીયા, દિનેશભાઈ દરજી, સુરેશભાઈ માળી, નવીનભાઈ જોષી અને ભાવેશભાઈ માળી સહિતના આગેવાનોએ ઈદગાહ ખાતે ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજના ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે “એકતા જ આપણી તાકાત છે” એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજના અગ્રણી ફારુકભાઈ દાણી, મોઈનભાઈ સિંધી, રહેમતુલ્લાભાઈ, ઈકબાલભાઈ, અસલમ ઘાસુરા (એલઆઇસી), ઝુલ્ફીકાર ચાવડા (એડવોકેટ), ઈશરતભાઈ પરમાર (સામાજીક અગ્રણી) અને અયાઝભાઈ ઘાસુરા સહિતના આગેવાનોએ હિન્દુ સમાજ તરફથી મળેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગામમાં હંમેશા શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તેવી દુઆ પણ કરી હતી.
તહેવાર દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આમ, જૂનાડીસામાં ઉજવાયેલ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર માત્ર ધાર્મિક આનંદ પૂરતો સીમિત ન રહી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ બની સમગ્ર પંથકમાં ભાઈચારા અને સૌહાર્દનો સકારાત્મક સંદેશ પણ ફેલાવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
13 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
14 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
14 કલાક પહેલા
