રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને પાંચ હજારનો દંડ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા લાલ આંખ

જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને પાંચ હજારનો દંડ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા લાલ આંખ
ઈરાદાપૂર્વક અરજદારને માહિતી આપવામાં બેદરકારી દાખવવા બદલ જાહેર માહિતી અધિકારી સામે આયોગ દ્વારા દંડનીય કાર્યવાહી કરાઇ બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી ગુરુ પ્રીત સિંહને માહિતી આપવામાં બેદરકારી દાખવવા બદલ ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, છાપી ના અરજદાર આનંદ કુમાર એમ પરમારએ જાહેર માહિતી અધિકારી બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પાસે થી તા ૧૨.૨ ૨૦૨૪ ના રોજ ૧ થી ૬ મુદ્દાની જરૂરી માહિતી માગેલ હતી. તે માહિતી ન મળતા અરજદારે પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ આપવા પાત્ર માહિતી નિયત સમયમાં આપવા હુકમ કરેલો હોવા છતાં તે હુકમનું પાલન જાહેર માહિતી અધિકારી ન કરેલ હોવાથી અરજદારે બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરી હતી. આ અપીલની સુનાવણી તા ૨૨.૪.૨૦૨૪ ના રોજ હાથ ધરાતા જાહેર માહિતી અધિકારી એ આર.ટી. આઇ ની કલમ ૨૦ (૧) મુજબ અરજદારને ઇરાદા પૂર્વક માહિતી આપવામાં બેદરકારી દાખવેલ હોય અને જાહેર માહિતી અધિકારી ખુલાસો કરવા માટે ગુજરાત માહિતી આયોગ સમક્ષ હાજર ન રહેલ હોય આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા બદલ જાહેર માહિતી અધિકારી અને બનાસકાંઠા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાને રૂ.૫૦૦૦ દંડની રકમ ભરવાનો હુકમ કરેલ છે. અને આ દંડની રકમ જાહેર માહિતી અધિકારીએ પોતાના સ્વભંડોળમાંથી તા ૩૦.૬.૨૦૨૫ સુધી સરકારી તિજોરીમાં ભરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી આ રકમ કપાત કરીને ભરવા નો હુકમ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. આમ, સરકારી અધિકારી હોવા છતાં માહિતી આયોગના કાયદા નું પાલન ન કરતા અધિકારીઓ માટે આ હૂકમ લાલ બત્તી સમાન છે. ગુજરાત માહિતી આયોગ ના કાયદાનું તટસ્થ પાલન થાય અને આયોગની ગરીમા સરકારી બાબુ ઓ સમજી શકે તે માટે આવા દંડના હુકમો ન્યાય હિતમાં થાય તે જરૂરી બની જાય છે.

સંબંધિત સમાચાર