થરાદ તાલુકામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરાતાં લોકોમાં વિરોધ ફેલાયેલો છે. ત્યારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા તથા વાછોલ ગામમાં રવિવારે ગ્રામજનો દ્વારા ધરણાં યોજી થરાદમાં જવું નથી તે માટે સમય આવે આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે ધાનેરા તાલુકાના અનાપુર છોટા તથા વાછોલ ગામમાં રવિવારે ગ્રામજનો દ્વારા ધરણાં યોજ્યા હતા. જેમાં સ્થાનિક ગ્રામ્ય આગેવાનો જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમારે બનાસકાંઠામાં જ રહેવાનું છે. વાછોલ થી થરાદ 90 કિલોમીટર થાય છે. જ્યારે પાલનપુર 60 કિલોમીટર થાય છે તથા અમારા તમામ કામો, શૈક્ષણિક, લૌકિક, સામાજિક તથા વ્યાવહારિક બનાસકાંઠા સાથે જોડાયેલા છે. થરાદ જવા માટે અમારે ત્રણ વખત બસ બદલવી પડે છે. જ્યારે પાલનપુર જવા માટે અમારે વાહનની વ્યવસ્થા છે. બસો નિયમિત મળે છે, બસ બદલવી પડતી નથી. ભૌગોલિક રીતે પણ અમો તો પાલનપુર સાથે જોડાયેલા છીએ. માનસિક રીતે પણ બનાસકાંઠામાં જોડાયેલા છીએ. જેથી અમારે બનાસકાંઠામાં જ રહેવું છે. થરાદમાં જવું નથી. તે માટે સમય આવે આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે.
ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે વાછોલ ગ્રામજનો દ્વારા ધરણાં

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
17 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
17 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
18 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
19 કલાક પહેલા
