પાલનપુર એલ.સી.બી.ટીમે ત્રણ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિની તેના મિત્ર હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યો દ્વારા હત્યા કરી તેની લાશને ધાનેરા તાલુકાના સાંકડ ગામે જમીનમાં દાટી દીધી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને સડી ગયેલી હાલતમાં લાશ કાઢીને ફોરેન્સિક પીએમ માટે ખસેડાઈ હતી. સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરને તેના મિત્ર વેલાજી શિવાજી માજીરાણા પર આડા સંબંધોની શંકા હતી. https://youtu.be/0cXdlLA4uA4 જે શંકાના આધારે ગત ૨૭ એપ્રિલ ૨૦૨૫ની રાત્રે આરોપીઓએ વેલાજી શિવાજી માજીરાણાનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને લાશને ખેતરમાં દાટી દીધી હતી. જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં જિલ્લા પોલીસ વડાએ ઝીણવટભરી તપાસ માટે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમોની રચના કરી હતી.પાલનપુર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને તેમની ટીમે સાવચેત તપાસ અને બાતમી નેટવર્કના આધારે આ કેસનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં મૃતકની લાશ ખેતરમાં દાટવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી મુખ્ય આરોપી હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોર અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ આડા સંબંધોની શંકાના કારણે આ હત્યાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર.ભારાઈ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ધાનેરા; ૩ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધનો વહેમ રાખી મિત્રની હત્યા

ટેગ્સ:#Dhanera#LCB team#2025#murder case#police investigation#relationship#Exhumation#cross-border relations#Crime resolution#Forensic Investigation#April 27#Dhanera Police Station#Tharad Deputy Superintendent of Police
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
