ધાનેરા નગરપાલિકા દ્વારા નગરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અને જાહેર માર્ગો મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન અને નેનાવા રોડ ઉપર આવેલા લગભગ 50 જેટલા નડતરરૂપ દબાણો અને ઓટલા હટાવવામાં આવ્યા હતા. આ અંગે ચીફ ઓફિસરએ જણાવ્યુ હતું કે, એસ.ટી.ખાતા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એસ.ટી. બસો અવરજવર કરતી વખતે દબાણો અને ઓટલાઓના કારણે અવરોધ ઊભો થાય છે. તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની હતી. હાલ ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ઘણી બધી દુકાનો અને દબાણદારો માટે આ કાર્યવાહી જાણે સર્જિકલ સ્ટ્રાઈક જેવી લાગણી ઊભી કરતી જોવા મળી હતી. આ કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીને અંજામ અપાયો હતો અને સ્થળ પરથી દબાણો દૂર કરતાં તસ્વીરો પણ ઉપલબ્ધ છે.
ધાનેરા નગરપાલિકા દ્વારા નડતરૂપ દબાણો દૂર; 50થી વધુ ઓટલા અને દબાણો હટાવાયા

ટેગ્સ:#Traffic jam#Traffic Management#Urban Development#Municipal Operations#ST Department#Dhanera Municipality#Public Roads#Obstacle Removal#Old Bus Station#New Bus Station#Nenawa Road#Chief Officer Statement#Civic Action#India-Pakistan War Context#Surgical Strike Analogy#Visual Documentation
સંબંધિત સમાચાર
બનાસકાંઠામુખ્યમંત્રીનો સરહદ હૂંકાર : ઢીમામાં વિકાસ સંકલ્પ સભા અને થરાદમાં નારી શક્તિનું અભિવાદન
10 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે જ હાલાકી : પાલનપુરમાં રખડતા શ્વાનોનો આતંક, તંત્રની ઘોર ઉદાસીનતા
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ગટરના પાણીથી ત્રાહિમામ, વોર્ડ-૯ ના રહીશોનો ચૂંટણી બહિષ્કારનો મિજાજ
11 કલાક પહેલા
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
1 દિવસ પહેલા
