રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા23 જુલાઈ, 2026| Super Admin

ધાનેરા : અંધશ્રદ્ધા વિરોધી અભિયાન સામે આસ્થાનું ઘોડાપૂર

ધાનેરા : અંધશ્રદ્ધા વિરોધી અભિયાન સામે આસ્થાનું ઘોડાપૂર

ધાનેરાના હડતા ગામે વિજ્ઞાન જાથા સામે ભક્તોનો ઉગ્ર વિરોધ!

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી અંધશ્રદ્ધા ફેલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નરેશ મહારાણા નામના ભુવાને વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે. કેન્સરના ત્રીજા સ્ટેજ પર રહેલા એક દર્દીને હોસ્પિટલની તબીબી સારવાર બંધ કરાવીને આ ભુવાએ ધાર્મિક બાધા રાખવાનું કહ્યું હતું, જેથી પીડિત પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાની આગેવાનીમાં આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે વિજ્ઞાન જાથાનો ૧૨૯૯મો સફળ પર્દાફાશ છે. ધાનેરા પોલીસે આરોપી સામે અટકાયતી પગલાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ : હડતા ધામ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ 'જયંત પંડ્યા હાય હાય'ના નારા લગાવી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંદિર પરિસર આગળ ભક્તોએ ભારે રોષ વ્યક્ત કરવાની સાથે જયંત પંડ્યાને 'સદબુદ્ધિ' મળે તે માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી, જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે."

સંબંધિત સમાચાર