ડીસા પંથકમાં પર્યાવરણનું નિકંદન: તંત્રની બેદરકારી વચ્ચે ‘દેશી વિરપ્પનો’ સક્રિય
લીલાછમ વૃક્ષોનું રાતોરાત વેચાણ અને ઉપજાઉ જમીન બિન ખેતી કરવાનું ષડયંત્ર
બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીનો વિશાળ પટ ધરાવતા ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાતોરાત ઘટાદાર અને લીલાછમ વૃક્ષો કાપી, તેના ટુકડા કરી ગેરકાયદેસર હેરાફેરી કરાય છે. કાયદાના ડર વગર, નંબર પ્લેટ વિનાના ટ્રેક્ટરોમાં આ કિંમતી લાકડા ભરી ડીસા શહેરમાં આવેલ સો મિલોમાં ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યા છે.51.jpg237.46 KBડીસામાં જમીનના ભાવ આસમાને હોઈઉપજાઉ ખેતીની જમીનોને રૂપિયાના જોરે, કાયદાના લીરેલીરા ઉડાડીને 'બિનખેતી' (એનએ) માં ફેરવવાનું મોટું નેટવર્ક પણ સક્રિય બન્યું છે. જેમાં સ્થાનિકોના આક્ષેપ મુજબ, જાડી ચામડીના અને લાંચિયા અધિકારીઓની રહેમ નજર હેઠળ જ આ આખું નેટવર્ક ચાલી રહ્યું છે.એક તરફ સમગ્ર દેશ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમી અને નહિવત વરસાદ (અલ નીનોની અસર) સામે ઝઝૂમી રહ્યું છે. વિજ્ઞાન અને કુદરતનો નિયમ છે કે વૃક્ષો જ ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનું એકમાત્ર હથિયાર છે. જે વૃક્ષો વરસાદ લાવવા અને ગરમી ઘટાડવા માટે આપણી જીવાદોરી છે, તેને જ આર્થિક સ્વાર્થ માટે કાપી નાખવામાં આવી રહ્યા છે.જો આ જ રીતે ડીસા પંથકના લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળતું રહેશે, તો આગામી દિવસોમાં આ હરિયાળો વિસ્તાર રણ પ્રદેશમાં ફેરવાઈ જશે તેમાં કોઈ શંકા નથી. છતાં વન વિભાગ અને સ્થાનિક પોલીસ આ 'દેશી વિરપ્પનો' સામે લાલ આંખ ક્યારે કરશે ?
કાયદાનો ભંગ કરીને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો કોની મંજૂરીથી અને કોના આશીર્વાદથી શહેરમાં પ્રવેશે છે ? રોડ-રસ્તા અને વિકાસના બહાના હેઠળ હજારો વૃક્ષોનો બલી લેનારાઓ સામે કડક પગલાં કેમ નથી ભરાતા ? પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.