રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

દિયોદર રેલ્વે બ્રીજમાં ફરીથી ગાબડું દેખાયું; અંધારીયા બ્રીજમાં અકસ્માત થવાનો ભય

દિયોદર રેલ્વે બ્રીજમાં ફરીથી ગાબડું દેખાયું; અંધારીયા બ્રીજમાં અકસ્માત થવાનો ભય

આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રીજનો ગાળો તુટી જતાં કેટલાય લોકોએ જીવ ગુમાવતાં પ્રજાજનોમાં અન્ય બ્રીજ વીશે સવાલો ઉભા થઈ રહ્યા છે. જીલ્લા કલેકટરની સુચના અન્વયે દિયોદર રેલ્વે બ્રીજનું પ્રાંત અધિકારી અને આરએન્ડબીના અધિકારીઓ દ્વારા બ્રીજનું નિરીક્ષણ કરવામાં આવેલ.દીઓદર માં વર્ષ અગાઉ ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રીજમાં બે વખત ગાબડાં પડ્યાં અને થીગડાં મારવાં પડ્યાં. ત્યારે ગતરોજ માત્ર પડેલ પ મીમી વરસાદ થી પણ દીઓદર બ્રીજમાં ફરીથી ગાબડાં ઉઘાડાં પડતાં પ્રજામાં ભય ફેલાયો છે. પ્રજાજનો ચર્ચાસ્પદ બનવા પામે છે કે અધિકારીઓ જાણે કે પ્રાંતઅધિકારીની સુચના ઘોળીને પી ગયા હોય તેમ હજુ સુધી કોઈજ સમારકાર હાથ ધરાયું નથી. વારંવાર ગાબડાં બ્રીજ માટે તો ગંભીર પરિણામ નહીં લાવે ને? જેવો પ્રશ્ન પ્રજાજનોમાં ચર્ચાસ્પદ બનવા પામેલ છે. અધિકારીઓ ને વારંવાર રજુઆતો કરવા છતાં આંખ આડા કાન કરતાં આખરે પ્રજાનેજ ભોગવવાનો વારો આવે છે.

સંબંધિત સમાચાર