રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

લાખણી તાલુકાને અસરગ્રસ્ત ગણી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ

લાખણી તાલુકાને અસરગ્રસ્ત ગણી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ
તાલુકાના સરપંચોની મામલતદાર અને ટીડીઓને રજુઆત ચોમાસુ સિઝન નિષ્ફળ નિવડતા ખેડૂતોની હાલત કફોડી; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરી ખેડૂતોને પાકોમાં નુકસાન  સામે વળતર આપવા તાલુકાના સરપંચો દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.લાખણી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતોના લેટર પેડ ઉપર લેખિત રજૂઆત કરી બાજરી,જુવાર, એરંડા,મગફળી,તલ સહિત તેલીબિયા અને કઠોળ પાકોમાં નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી. લાખણી તાલુકામાં આ વખતે છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદ તોફાની પવન સાથે ખાબક્યો છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવા સાથે કેટલાય રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભા પાકોને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની હાલત ફરી એક વાર દયનિય બની ગઈ છે. આખી ચોમાસુ સિઝન નિષ્ફળ જતા ખેડૂતો દેવાદાર બની ગયા છે. અગાઉ પણ ખેડૂતોને નુકશાન થયું હતું પણ આ વખતના વાવાઝોડા સાથેના વરસાદે જગતના તાત ગણાતા ખેડૂતને લાચાર બનાવી દીધો છે. ત્યારે હવે ગામોના સરપંચો ખેડૂતોની વ્હારે આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા સત્વરે ખેતરોમાં થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને ફરી બેઠા કરવા સરકાર નુક્શાનનું વળતર ચૂકવે તેવી તમામ ગામોના સરપંચોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

સંબંધિત સમાચાર