રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

ભડથ એ.જી.18 સહિત અનેક ફીડરના વાયર નીચે, ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ

ડીસા તાલુકાના બાઈવાડા ગામ ખાતે આવેલ બાઈવાડા સબ સ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઈનો હાલ અત્યંત જોખમી સ્થિતિમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ભડથ એ.જી. 18 ફીડરની લાઈનોના વાયર નીચે ઝૂકી જતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ગંભીર અકસ્માતની ભીતિ ઊભી થઈ છે.સ્થળ પર જોવા મળેલી પરિસ્થિતિ મુજબ ઘણા વિસ્તારોમાં વીજ વાયરો જમીન તરફ ઝૂલતા નજરે પડે છે, જ્યારે અનેક વીજ થાંભલા ઝાડ-ઝાંખરામાં ઢંકાઈ ગયા છે. બાઈવાડા સબ સ્ટેશનમાંથી ભડથ, ભાદરીયા, ઘાડા અને ગેનાજી તરફ જતી લાઈનોમાં આવી બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બાબતે વીજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાઈ નથી. “તંત્ર માત્ર કાગળ પર જ મેન્ટેનન્સ બતાવે છે, જમીન પર કોઈ કામ થતું નથી,” એવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.બીજી તરફ, સંબંધિત વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવામાં આવ્યું છે.

મેન્ટેનન્સ માત્ર કાગળ પર ?

ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે, છતાં નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ચોમાસા પૂર્વે થતી કામગીરી પણ કાગળ પર જ સીમિત રહેતી હોવાનો રોષ જોવા મળે છે. વીજ લાઈનો નીચે ઝૂલતી હોવા અને થાંભલાઓ ઝાડમાં ગરકાવ થતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલા ભરે છે કે નહીં ?

સંબંધિત સમાચાર