રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા3 એપ્રિલ, 2026| Super Admin

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

માથે ઝળુંબતું મોતનું સંકટ : ડીસાના બાઈવાડા સબ સ્ટેશનની વીજ લાઈનો બની જોખમી

ભડથ એ.જી.18 સહિત અનેક ફીડરના વાયર નીચે, ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ

ડીસા તાલુકાના બાઈવાડા ગામ ખાતે આવેલ બાઈવાડા સબ સ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઈનો હાલ અત્યંત જોખમી સ્થિતિમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ભડથ એ.જી. 18 ફીડરની લાઈનોના વાયર નીચે ઝૂકી જતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ગંભીર અકસ્માતની ભીતિ ઊભી થઈ છે.સ્થળ પર જોવા મળેલી પરિસ્થિતિ મુજબ ઘણા વિસ્તારોમાં વીજ વાયરો જમીન તરફ ઝૂલતા નજરે પડે છે, જ્યારે અનેક વીજ થાંભલા ઝાડ-ઝાંખરામાં ઢંકાઈ ગયા છે. બાઈવાડા સબ સ્ટેશનમાંથી ભડથ, ભાદરીયા, ઘાડા અને ગેનાજી તરફ જતી લાઈનોમાં આવી બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બાબતે વીજ વિભાગને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાઈ નથી. “તંત્ર માત્ર કાગળ પર જ મેન્ટેનન્સ બતાવે છે, જમીન પર કોઈ કામ થતું નથી,” એવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.બીજી તરફ, સંબંધિત વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેવામાં આવ્યું છે.

મેન્ટેનન્સ માત્ર કાગળ પર ?

ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે, છતાં નિયમિત મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. ચોમાસા પૂર્વે થતી કામગીરી પણ કાગળ પર જ સીમિત રહેતી હોવાનો રોષ જોવા મળે છે. વીજ લાઈનો નીચે ઝૂલતી હોવા અને થાંભલાઓ ઝાડમાં ગરકાવ થતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલા ભરે છે કે નહીં ?

સંબંધિત સમાચાર