રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસ ડેરીની કુંવારાપાદર મંડળીમાં મંત્રીની જોહુકમી સામે ગ્રાહકોમાં રોષ

બનાસ ડેરીની કુંવારાપાદર મંડળીમાં મંત્રીની જોહુકમી સામે ગ્રાહકોમાં રોષ
ગ્રાહકોએ સાધારણ સભાનો બહિષ્કાર કર્યો; બનાસ ડેરી હેઠળ આવતી કુંવારાપાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રીના મનસ્વી વહીવટ અને જોહુકમી સામે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં યોજાયેલી મંડળીની સાધારણ સભામાં, મંત્રી દ્વારા ગયા વર્ષની સરખામણીમાં દૂધનો ભાવફેર ઓછો આપવામાં આવતા ગ્રાહકોએ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકોએ જ્યારે ભાવફેર અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે મંત્રી ડાયાજીએ ઉદ્ધત જવાબ આપ્યો કે, "આ મંડળી મારી છે અને હું જ નિર્ણય લઈશ. કોઈ કમિટી સભ્ય કે ગ્રાહકને પૂછવાનો અધિકાર નથી." તેમના આ વર્તનથી નારાજ થયેલા ગ્રાહકોએ સાધારણ સભામાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સભા રદ કરવી પડી હતી. ગ્રાહકોએ આ ભાવફેરની ફાળવણી અમાન્ય ગણાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ડેરીના અધિકારીઓ પણ સભામાં હાજર હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે મંત્રી તરીકે ડાયાજીની દીકરીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તે ક્યારેય હાજર રહેતી નથી અને સમગ્ર વહીવટ ડાયાજી પોતે જ કરે છે. આ અંગે ગ્રાહકોએ બનાસ ડેરીના જનરલ મેનેજરને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે. આ મામલો હવે ગંભીર બન્યો છે અને સ્થાનિક દૂધ ઉત્પાદકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓ મંત્રીના મનસ્વી વહીવટ સામે સખત પગલાં લેવાની માગ કરી રહ્યા છે. આ ઘટના અંગે બનાસ ડેરીનું તંત્ર શું નિર્ણય લે છે ? તેના પર સૌની નજર છે.

સંબંધિત સમાચાર