રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 મે, 2026| Super Admin

"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર

"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ અને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પક્ષના જ આંતરિક વિખવાદ અને 'ભીતરઘાત' પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

​વિજેતા ઉમેદવારોના સન્માન બાદ પોતાના સંબોધનમાં ગુલાબસિંહ રાજપૂતે હારના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ઇતિહાસમાં કોંગ્રેસને હરાવવાનું કામ હંમેશા કોંગ્રેસે જ કર્યું છે. પહેલા નેતાઓ ટિકિટ મેળવવા માટે જોરદાર લોબિંગ કરે છે, પણ જો ટિકિટ ન મળે તો પક્ષના જ ઉમેદવારને હરાવવાનું કામ શરૂ કરી દે છે. કોંગ્રેસને બહારથી આવીને કોઈ હરાવી શકતું નથી, પણ આંતરિક ખેંચતાણને લીધે જ પક્ષને નુકસાન સહન કરવું પડે છે."

​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત ચૂંટણીઓમાં હાર પાછળ લગ્નગાળો પણ એક કારણ રહ્યો હતો. લગ્નની મોસમ હોવાને કારણે કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પ્રત્યે વફાદાર રહેવાને બદલે હરાવવાની ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

​આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા ડેલિગેટ્સનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રમુખના આ નિવેદન બાદ પક્ષમાં આંતરિક શિસ્ત અને એકતા જાળવવી એ આગામી સમયમાં મોટો પડકાર બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

સંબંધિત સમાચાર