રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા3 ઑગસ્ટ, 2025| Super Admin

સાબરકાંઠા; દશામાંના દશ દિવસનું વ્રત પૂર્ણ વાજતે-ગાજતે માતાજીની મૂર્તિનું વિસર્જન

સાબરકાંઠા; દશામાંના દશ દિવસનું વ્રત પૂર્ણ વાજતે-ગાજતે માતાજીની મૂર્તિનું વિસર્જન
દિવાસાના દિવસે ભક્તોએ દશામાંની મૂર્તિ ખરીદીને વાજતે-ગાજતે ગૃહ પ્રવેશ કરાવી સ્થાપન કર્યું હતું. ત્યારબાદ રોજ સવારે અને સાંજે માતાજીની આરતી કરી આરાધના કરવામાં આવી હતી. દશામાંના મંદિરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તો ગરબે ઘૂમ્યા હતા. શ્રાવણ માસની નોમને શનિવારે 10 દિવસ પૂર્ણ થતાં ભક્તોએ માતાજીની પૂજા-અર્ચના કરી ચુરમું બનાવ્યું હતું. રાત્રે જાગરણ કરીને ગરબે ઘૂમ્યા હતા. રવિવારે સવારે હિંમતનગર સહિત જિલ્લાની વહેતી નદી કિનારે ભક્તો વાજતે-ગાજતે માતાજીને હાથમાં લઈને પહોંચ્યા હતા. હિંમતનગરના ભક્તો દશામાંની મૂર્તિને લઈને જાંબુડી ગામ પાસે વહેતી હાથમતી નદીએ પહોંચ્યા હતા. ત્યાં આજુબાજુના ગ્રામજનો અને હિંમતનગરના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નદી કિનારે સૌ ભક્તોએ માતાજીની મૂર્તિનું પૂજન-અર્ચન કરીને આરતી કરી હતી. ત્યારબાદ વહેતા પાણીમાં ભક્તોએ માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

સંબંધિત સમાચાર