રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુરમાં દિવ્યાંગ બાળકો દ્વારા રંગબેરંગી દીવડા અને તોરણ તૈયાર કરાયા

પાલનપુરમાં દિવ્યાંગ બાળકો દ્વારા રંગબેરંગી દીવડા અને તોરણ તૈયાર કરાયા
દિવાળીના તહેવારને આવકારવા પાલનપુર મમતા મંદિરના દિવ્યાંગ વિધાર્થીઓએ પોતાના હાથે રંગબેરંગી અને ડિઝાઇનવાળા અવનવા દીવડા તથા તોરણ તૈયાર કરી વેચાણ માટે મુક્યા છે. આ દિવ્યાંગ બાળકોની આકર્ષક કૃતિઓ હાલ સૌનું ધ્યાન ખેંચી રહી છે.દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસોથી દૂર છે. ઘરોને સુંદર રીતે શણગારવા લોકો અવનવા ડેકોરેશનની તૈયારીમાં લાગી ગયા છે. પહેલાં સાદા દીવડાઓનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે બજારમાં નવીન ડિઝાઇનવાળા દીવડા અને સુશોભન સામગ્રીની માંગ વધી રહી છે. ત્યારે પાલનપુરની મમતા મંદિરમાં અભ્યાસ સાથે સાથે દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બને તે હેતુથી ઈત્તર પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીઓ પછી, હવે દિવાળીને ધ્યાનમાં રાખી આ બાળકો વિવિધ રંગોથી સુશોભિત દીવડા અને તોરણ તૈયાર કરી વેચાણ માટે મૂકે છે. આ દીવડા અને તોરણ ન માત્ર તેમની પ્રતિભાનું પ્રતિબિંબ છે, પરંતુ સ્વાવલંબન તરફનું એક અનોખું પગલું પણ છે. લોકો પાસે અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડા અને તોરણ ખરીદીને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે    

સંબંધિત સમાચાર