અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાટણ જિલ્લાના ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતીના મૃતદેહ ના DNA પરીક્ષણ બાદ મૃતદેહ ને તેમના પરિવારને સોંપવામાં આવતા પરિવાર જનોમાં આક્રંદ છવાયો હતો અને ભારે હૈયે પરિવારજનોએ મૃતકોના અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુકિત ધામ ખાતે કરી મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તા. 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પાટણ ના ચંદ્રુમણા ગામના કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન કુબેરભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. તેઓ યુકેમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા. વિમાન ક્રેશ થતાં બંને પતિ-પત્નીનું કરુણ મૃત્યુ થયું હતું.દુર્ઘટના બાદ પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા પહોંચ્યા હતા. ઘટના બન્યાના 10 દિવસ પછી DNA પરીક્ષણમાં મેચ થતાં સત્તાવાળાઓએ પરિવારજનોને મૃતદેહ સોંપ્યા હતા. બંને મૃતદેહોને તેમના વતન ચંદુમાણા લાવવામાં આવ્યા. આ સમયે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારબાદ બંને મૃતદેહોને સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદ્રુમણા દંપતિના DNA ટેસ્ટ બાદ સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

ટેગ્સ:#Ahmedabad#Plane crash#Patan district#Victim Identification#Community Grief#Tragic Accident#Last Rites#Family Mourning#DNA Identification#Chandrumana Village#Siddhpur Mukti Dham#Travel to UK
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
