છાપી સ્થાનિક થરાદી મેમન જમાત દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે આદર્શ વિધાલય બસુના નિવૃત્ત આચાર્ય, સી.એસ.રાણા સાહેબ દ્વારા બાળકોને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાપી થરાદી મેમણ જમાત દ્વારા આવેલ મહેમાનનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.
દાતા ઓ દ્વારા બાળકોને ચોપડો, કેક,બિસ્કિટ, એજ્યુકેશનક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં છાપી સ્થાનિક થરાદી મેમન જમાતના સરપરસ્ત રફીકભાઈ, ફારુકભાઇ મેમણ પ્રમુખ, યાસીનભાઈ માસ્ટર સેક્રેટરી સહિત વિવિધ કમિટીના ચેરમેનએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રફીકભાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. સિરાજભાઈ સુરતવાળા દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.
ફારુકભાઈ પ્રમુખે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપેલ. અને વિવિધ કમિટીઓને સક્રિય રહી કાર્યક્રમો કરવા અપીલ કરવામાં આવી હતી. અને પ્રોગ્રામ હાજર રહેલ દરેકનો આભાર માન્યો હતો. પ્રોગ્રામનું સંચાલન સેક્રેટરી માસ્ટર યાસીન દ્વારા કરવામાં આવ્યું હતું.





