રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા8 જૂન, 2026| Super Admin

અંબાજીમાં બુલડોઝર એક્શન: શક્તિ કોરિડોર માટે મેગા દબાણ હટાવ અભિયાન-૨.૦ શરૂ

અંબાજીમાં બુલડોઝર એક્શન: શક્તિ કોરિડોર માટે મેગા દબાણ હટાવ અભિયાન-૨.૦ શરૂ

યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના પ્રથમ ફેઝના કામને ઝડપી બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ‘દબાણ 2.0’ અંતર્ગત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચાર ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર અને એસડીએમની દેખરેખ હેઠળ ચાર વિશેષ ટીમો બનાવીને રેવન્યુ, ગ્રામ પંચાયત તથા માર્ગ અને મકાન વિભાગની જમીન પર આવેલા અંદાજે 30 થી વધુ કાચા-પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા.

અગાઉ રબારીવાસ વિસ્તારમાં 85 જેટલા દબાણો હટાવાયા બાદ આજે ફરી કોરિડોરના માર્ગમાં નડતરરૂપ બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. આ કામગીરીની સૌથી સંવેદનશીલ બાબત એ રહી કે પોતાના ઘરો તૂટતા હોવા છતાં સ્થાનિકો તરફથી કોઈ વિરોધ નોંધાયો નહોતો. વર્ષોથી અહીં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો વિકાસને પ્રાથમિકતા આપી સમય પહેલાં જ પોતાના મકાનો ખાલી કરીને તંત્રને સહયોગ આપ્યો હતો.

જોકે ઘર વિહોણા બનેલા પરિવારો હવે આગામી ચોમાસા અને કાળઝાળ ગરમીને લઈને ચિંતિત બન્યા છે. પીડિત પરિવારો અને સ્થાનિકોની સરકાર સમક્ષ માંગ છે કે, તેમને રહેવા માટે પ્લોટ ફાળવવામાં આવે અથવા પીએમ આવાસ યોજના હેઠળ ઘરના બદલે ઘર આપીને યોગ્ય પુનઃવસન કરવામાં આવે. વિકાસ માટે પોતાનું ઘર ગુમાવનારા પરિવારો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર