રખેવાલ
બ્રેકિંગ
મહેસાણા29 ઑગસ્ટ, 2025

મહેસાણામાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

મહેસાણામાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

મહેસાણામાં સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગ્રંથાલયના નિયમિત વાચકો તેમજ ઝવેરચંદ મેઘાણીના સાહિત્યનું ખૂબ વાંચન કર્યું છે તેવા બાબુભાઈ ગોપાલદાસ સોની દ્વારા વાંચકોને મેઘાણી સાહિત્યની વાતો તેમજ ગોષ્ઠિ કરવામાં આવી હતી.આ પુસ્તક પ્રદર્શનમાં ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ, શૌર્યગીતોના પુસ્તકો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવા પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં વાચકો તેમજ સાહિત્ય પ્રેમી તેવા પ્રજાજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો.

સંબંધિત સમાચાર