રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના તળાવમાંથી યુવકની લાશ મળી, તપાસમાં મૃતક યુવક આકેસણ ગામનો હોવાનું ખુલ્યું

પાલનપુરના તળાવમાંથી યુવકની લાશ મળી, તપાસમાં મૃતક યુવક આકેસણ ગામનો હોવાનું ખુલ્યું
ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી; પાલનપુરમાં ગટરના ગંદા પાણીથી છલોછલ ભરાયેલા ગોબરી તળાવમા એક યુવકની તરતી લાશ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી દોડી આવેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી હતી. પાલનપુરમાં જગાણા રોડ પર આવેલ ગોબરી તળાવમાં હાલ ગટરનું પાણી ભરેલું છે. જેમાં સવારના સમયે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાં લાશને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. પોલીસે મૃતકની તપાસ કરતા તે આકેસણ ગામનો યોગેશજી વશરામજી ઠાકોર હોવાનું જાણવા મળતા બનાવ અંગે મૃતકના પરિવારને જાણ કરી લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી અને મૃતકનું ક્યા કારણોસર તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે?તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર