પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે તળાવની પાળ નજીક અજાણ્યા યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા યુવાનની લાશ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની સાથે લાશની ઓળખવિધિની કામગીરી હાથ ધરતાં લાશ રાજસ્થાનના કોઈ મંજુર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. યુવાને ગળે ફાંસો ખાઈને જાતે આત્મહત્યા કરી છે કે પછી કોઈ શખ્સોએ તેને મોતને ઘાટ ઉતારી લાશ જાડ સાથે લટકતી કરી છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ દ્ધારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સમી તાલુકાના મુબારકપુરા ગામના તળાવની પાળે ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોઇ અજાણ્યા યુવાનની લાશ લટકતી હોવાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળેટોળા ધટના સ્થળે પહોંચ્યા હતા. આ બાબતે સમી પોલીસને જાણ કરતા પોલીસે પણ ધટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા યુવાનની હત્યા થઈ છે કે તેણે જાતે જ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી છે તેની તપાસ માટેના ચક્રો ગતિમાન કરી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી.તો સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન રાજસ્થાની મજૂર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો યુવાનની આત્મહત્યા કે પછી હત્યા તે અંગે અનેક તર્ક વિતર્કો ઉભા થતાં સમી પોલીસ ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સમીના તળાવ કાંઠે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી

ટેગ્સ:#police investigation#Patan district#Law Enforcement#Community Response#Mubarakpura Village#Sami Lake#Unknown Young Man#Body Discovery#Rajasthani Laborer#Local Theories
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
