રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

ભોપાનગર ફાટકે ભાટસણની પરણીતાનું ટ્રેનની અડફેટે મોત

ભોપાનગર ફાટકે ભાટસણની પરણીતાનું ટ્રેનની અડફેટે મોત
ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી; ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારના સુમારે એક મહિલાનું ટ્રેનની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર (ઉં.વ. ૨૭) પરણીત હતા અને ત્રણ નાના બાળકોના માતા હતા, તેમનું શનિવારે ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, તેમજ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના એક દુર્ઘટના હતી કે આશાબેને કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી ? પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની ચોક્કસ માહિતી બહાર આવી શકશે. આશાબેનના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના ત્રણ નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકની લાગણી અનુભવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુઃખદ ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે.તેમ પોલીસે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર