રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભાભર; અબાળા ગામે થોડા દિવસ પહેલા થયેલ બે જુથ અથડામણ માં એકનું મોત

ભાભર; અબાળા ગામે થોડા દિવસ પહેલા થયેલ બે જુથ અથડામણ માં એકનું મોત
મૃતક ન સગાંસંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા; પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો..! બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામે થોડા દિવસ પહેલા થયેલ બંને જુથો વચ્ચે મારામારી માં ગંભીર રીતે ઘાયલ થયેલ એક ઈસમનું આજ રોજ મોત થતા અબાળા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભાભરના અબાળા ગામે થોડા દિવસ પહેલા થયેલ બે જુથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલ જેસુંગજી નાગજીજી ઠાકોર ઉ.વ. આશરે ૩૫ની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ લાંબા સમયની સારવાર બાદ આજે જેસુંગજી ઠાકોર નું મોત થતા અબાળા ગામ સહીત ભાભર પંથકમા અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે આજે અબાળા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસુંગજી ની આજે અંતિમ યાત્રા નિકળી હતી. ત્યારબાદ અંતિમ યાત્રાની વિધિ કરાઈ હતી અને અબાળા ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભાભર સહિત દિયોદર અને વાવ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જેસુંગજી નું મોત થતા નાની ઉંમરે ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી હતી.

સંબંધિત સમાચાર