બનાસકાંઠા પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના માર્ગદર્શન હેઠળ, આ પહેલનો હેતુ ગણેશ પંડાલમાં આવતા લોકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માહિતી આપવાનો છે. પાલનપુરના ગઢમાં આયોજિત ગણેશ મહોત્સવમાં પોલીસની સાયબર ટીમે લોકોને ઓનલાઈન થતી છેતરપિંડી, ફિશિંગ, અને અન્ય સાયબર હુમલાઓ વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમણે પોલીસના આ પ્રયાસને સારો પ્રતિસાદ આપ્યો હતો. ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એમ. વસાવાએ સાયબર ક્રાઈમ થી થતા ફ્રોડ અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.આ અભિયાન દ્વારા બનાસકાંઠા પોલીસનો પ્રયાસ છે કે લોકો ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષિત રીતે કરે અને સાયબર ગુનાઓનો ભોગ બનતા અટકે તેવા ઉદેશ્ય સાથે બનાસકાંઠા પોલીસ દ્વારા આ નવીન પહેલ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા પોલીસની નવી પહેલ; ગણેશ પંડાલમાં લોકોને સાયબર ક્રાઈમ જાગૃતિ અંગે સમજ અપાઈ

ટેગ્સ:#Palanpur#Banaskantha District#cybercrime prevention#Ganesh Mahotsav 2025#Online Fraud Awareness#Phishing Education#Banaskantha Police Campaign#Public Safety Outreach#Police-Led Education#Ganesh Pandal Outreach#Garh#Gujarat Police Initiatives
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
16 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
18 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
