રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ
ભૂસ્તર વિભાગે છેલ્લા ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપી 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ખનીજ માફિયાઓ દિવસે દિવસે બેખૌફ રીતે રેતીનું ખનન કરી રહ્યાં છે. ત્યારે ગઈ કાલે થરાદ પોલીસે રોયલ્ટી વિના રેતી ભરેલી 6 ટ્રકો ઝડપી પાડી હતી. ઓવર લોડ રેતી ભરેલી ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાની વાત કરીએ તો ભૂસ્તર વિભાગે એક માસમાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. એક જ મહિનામાં ખનીજ ચોરીના 145 કેસ નોંધ્યા છે અને 2.33 કરોડ રૂપિયાની આવક પણ મેળવી છે. ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરીને દાદાગીરી કરતા માફિયાઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ચાર મહિનામાં 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપ્યા છે. સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીના કેસ અને દંડ વસૂલાતમાં બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી છે. રાજ્યમાં નદીમાંથી થતી ખનીજ ચોરીના અનેક બનાવો સામે આવ્યાં છે. અધિકારીઓ દ્વારા રેડ પાડવા અંગેની ખનીજ માફિયાઓને અગાઉથી જાણ થતી હોવાની બાતમી મળવાના પણ આક્ષેપ થતાં હોય છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ માફિયાઓ સામે સપાટો બોલાવી દીધો છે.

સંબંધિત સમાચાર