રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

બનાસકાંઠા; કોલ્ડ સ્ટોરેજના માલિકો ખેડૂતોના બટાકા લેતા ન હોઈ ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા; કોલ્ડ સ્ટોરેજના માલિકો ખેડૂતોના બટાકા લેતા ન હોઈ ખેડૂતોમાં રોષ
શહીદ દિને કિસાન સંઘે આપ્યું કલેકટરને આવેદનપત્ર; બનાસકાંઠામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસીડી આપે છે. ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે. તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી. જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રઝળી રહ્યો છે. આ ઉપરાંત ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા, નવા વીજ કનેક્શનો આપવા, તળાવો ભરવા અને રી-સર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું. કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભગવાન ભાઇ પટેલે જણાવ્યું હતું. 19મી માર્ચ 1987માં શહીદ થયેલા ખેડૂતોની યાદમાં શહીદ દિને ભારતીય કિસાન સંઘે ખેડૂતોની માંગણીઓને લઈને આંદોલનનું રણશિંગૂ ફૂંકયું છે.

સંબંધિત સમાચાર