રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા17 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજ વંદન

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજ વંદન
૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેકટરના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જિલ્લા કલેકટર મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૬૨ દેશી રજવાડાંઓનું વિલિનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દૃઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે! ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહિવટીતંત્ર સતત કાર્યરત છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયા છે. સરકારએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલોપમેન્ટ પ્રોજેકટને મંજુરી આપી છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૬૩૨ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ 'ઓપરેશન સિંદૂર' આજે નવા ભારતની ઓળખ બન્યુ છે. ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં જોમ પુરવા બદલ સરહદી નાગરિકોને કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા. આજે સરહદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા છે. તેમણે જણાવ્યું કે, દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં ૧૨ વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા ૨૯ આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનાંમાં સોનેરી અક્ષરે લખાશે. ચડોતરું જેવી કુરિવાજનો અંત લાવીને, આપણે વેરને બદલે વહાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે. જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા ૧૭ જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

સંબંધિત સમાચાર