રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા24 જૂન, 2026| Super Admin

મહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય

મહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય

મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકમાં આવેલો અને અનેક ગામોને જોડતો તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ હાલમાં અત્યંત ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે. સરકારી તંત્રની ઘોર બેદરકારીના પરિણામે આ પુલની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે અહીંથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકો સતત જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિક લોકો અને ખેડૂતોએ નિર્માણ કાર્યની નબળી ગુણવત્તા અંગે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, પુલના સ્લેબમાંથી સતત પાણી નીચે ટપકી રહ્યું છે. આ પાણીના લીકેજના કારણે પુલના માળખામાં વપરાયેલી લોખંડની મજબૂત એંગલો પણ સંપૂર્ણપણે કાટ ખાઈને સડી ગઈ છે. પુલ પરથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે, જેનાથી આંતરિક માળખું નબળું પડી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ જોતા ભારે વાહનોના વજનથી આ બ્રિજ કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

આ માર્ગ બહુચરાજી સહિત કાનપુરા, કટોસણ અને રામપુરા જેવા અનેક મોટા ગામો માટે વ્યવહારનું મુખ્ય માધ્યમ છે. રોજેરોજ અહીંથી શાળાની વાન, એસ.ટી. બસો તેમજ ખેડૂતોના ટ્રેક્ટરોની ભારે અવરજવર રહે છે. જો નર્મદા નિગમ કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ પુલની યોગ્ય તપાસ કરી તેનું નવેસરથી સમારકામ કે નિર્માણ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ ગંભીર જાનહાનિ સર્જાવાની પૂરી દહેશત છે, અને જો તેમ થશે તો તેનો સંપૂર્ણ દોષ વહીવટી તંત્રનો જ રહેશે.

ટેગ્સ:#Bahucharaji

સંબંધિત સમાચાર