દિવાળીની રજાઓ બાદ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં મગફળી અને કપાસની હરાજી આજથી ફરી શરૂ થઈ છે. 18 ઓક્ટોબરે હરાજી બંધ કરાયા બાદ 29 ઓક્ટોબરે બુધવારે સવારથી ખેડૂતોના પાકોની ખરીદી માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડના મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સહકારી જિન વિસ્તારમાં આવેલા કોટન માર્કેટમાં રૂ વેચાણ માટે 8 વાહનો આવ્યા હતા. 5100 રૂની ખરીદી રૂ. 1325 થી રૂ.1441 ના ભાવે કરવામાં આવી હતી. જ્યારે માર્કેટયાર્ડમાં મગફળીના વેચાણ માટે 320 જેટલા વાહનો આવ્યા હતા. અંદાજે 10,000 થી વધુ બોરી મગફળીની ખરીદી રૂ.900 થી રૂ.1425 ના ભાવે થઈ હતી.
આજથી હિંમતનગર માર્કેટયાર્ડમાં હરાજી શરૂ : મગફળી અને કપાસની ખરીદી શરૂ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના વિજયનગર લીમડા ગામેથી 12 કિલો ગાંજા સાથે બે ધરપકડ
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
1 અઠવાડિયા પહેલા
