રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે પૂર અસરગ્રસ્ત પોતાના મત વિસ્તાર થરાદ તાલુકાના આંતરોલ, તાખુવા, ભરડાસર, કાસવી, રામપુરા, સવપુરા, ભડોદર અને ભોરોલ ગામોની મુલાકાત લીધી હતી. પુર અસરગ્રસ્ત આ ગામોમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્થાનિક આગેવાનો સાથે મળી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરીને લોકોથી સીધો સંવાદ સાધ્યો હતો. લોકોએ કરેલી રજૂઆતો સાંભળી સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. અધ્યક્ષએ જણાવ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ પૂર્વવત થાય તે માટે સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. અસરગ્રસ્ત લોકોને કેશડોલ વિતરણ, ઘરવખરી સર્વે, આરોગ્ય સેવાઓ, રોડ-રસ્તાની દુરસ્તી તેમજ પશુઓ માટે ઘાસ-ચારો ઉપલબ્ધ રહે તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પૂરની પરિસ્થિતિની જાણકારી મેળવવા બે દિવસ આપણા વિસ્તારમાં રોકાયા છે. આગામી સમયમાં સરકાર દ્વારા વારંવાર થતી પૂર ની પરિસ્થિતિના કાયમી ઉકેલ માટે પણ આયોજન છે.અધ્યક્ષએ લોકોને વિશ્વાસ આપ્યો કે સરકાર અને વહીવટી તંત્ર હંમેશા આપની સાથે છે અને તમામ જરૂરી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવશે.

સંબંધિત સમાચાર