રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત3 ઑગસ્ટ, 2025| Super Admin

દશામાની મૂર્તિ પધરાવતી વખતે બનાસકાંઠાના દાંતીવાડામાં એક યુવકનો પગ લપસી જતાં તે પુલ નીચેના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત

દશામાની મૂર્તિ પધરાવતી વખતે બનાસકાંઠાના દાંતીવાડામાં એક યુવકનો પગ લપસી જતાં તે પુલ નીચેના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત

(જી.એન.એસ) તા. 3

દાંતીવાડા,

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક યુવકનો પગ લપસી જતાં તે પુલ નીચેના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું કરુણ મોત નિપજ્યું હતુ. મૃતક યુવકની ઓળખ થતાં જાણવા મળ્યું હતુ કે તે ડીસાનો રહેવાસી હતો. 28 વર્ષીય મુકેશભાઈ માળી દશામાના તહેવાર નિમિત્તે પોતાના પરિવાર અને મિત્રો સાથે દાંતીવાડા ડેમના પુલ નીચેની ધરામાં મૂર્તિ પધરાવવા ગયો હતો.

આ દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તેનો પાણીમાં ગરકાવ થયો હતો. આ સમગ્ર ઘટનાથી ત્યાં હાજર લોકોમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બાબતે દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આવી ધાર્મિક વિધિઓ દરમિયાન સાવચેતી રાખવી જરૂરિ હોય છે. આવા સમયે આવી કોઈ ઘટના ના બને તેની કાળજી રાખવી પણ જરીરૂ હોય છે. તંત્ર દ્વારા આવા જોખમી સ્થળો પર સુરક્ષાની વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.



Source link

સંબંધિત સમાચાર