સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો માટે હિંમતનગરમાં કેન્ટીન શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે. પૂર્વ સૈનિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગાંધીનગર અને અમદાવાદ જેવા દૂરના શહેરોમાં જવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ રજૂઆત કરાઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ બજેટ સત્ર દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત બાદ રક્ષા મંત્રાલય (ભારત) હેઠળ હિંમતનગરમાં કેન્ટીન સ્ટોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે. હવે તેમને જીવન જરૂરી વસ્તુઓ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં અને હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે. સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
4 દિવસ પહેલા
