રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો માટે હિંમતનગરમાં કેન્ટીન શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં સરળતા રહેશે. પૂર્વ સૈનિકો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગાંધીનગર અને અમદાવાદ જેવા દૂરના શહેરોમાં જવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ રજૂઆત કરાઈ હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ બજેટ સત્ર દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત બાદ રક્ષા મંત્રાલય (ભારત) હેઠળ હિંમતનગરમાં કેન્ટીન સ્ટોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 25,000થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે. હવે તેમને જીવન જરૂરી વસ્તુઓ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં અને હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે. સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.      

સંબંધિત સમાચાર