રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ15 મે, 2026| Super Admin

આકસ્મિક આગની ઘટના : સમીમાં ઘાસચારો બળી જતાં પશુપાલકની હાલત કફોડી

આકસ્મિક આગની ઘટના : સમીમાં ઘાસચારો બળી જતાં પશુપાલકની હાલત કફોડી

સમી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે, જેના કારણે પંથકમાં ચિંતાનો માહોલ છે. અગાઉ પણ આવી ઘટનાઓ બન્યા બાદ વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં સમી-મુજપુર રોડ પર એક પશુપાલકના વાડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગ મુજપુર રોડ પર આવેલા ભેમનાથ મંદિર નજીક પશુઓ માટે સંગ્રહ કરાયેલા ઘાસચારાના પૂળામાં લાગી હતી. 

આ ઘટનામાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગતાની સાથે જ આસપાસના લોકો અને તલાટી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ૧૧૨ વાન અને યુજીવીસીએલ (UGVCL) ને જાણ કરી હતી, જેના પગલે સંબંધિત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થતાં પશુપાલકને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર