રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 જૂન, 2026| Super Admin

કાંકરેજના માનપુર પાસે ટ્રેઇલરની પાછળ જીપડાલુ ઘૂસતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

કાંકરેજના માનપુર પાસે ટ્રેઇલરની પાછળ જીપડાલુ ઘૂસતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

હાઈવે પર સમારકામ વચ્ચે અકસ્માતોની ઘટનાઓથી વાહન ચાલકોમાં ચિંતામાં ગરકાવ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી–થરા નેશનલ હાઈવે પર માનપુર ગામ નજીક ટ્રેઇલરની પાછળ જીપ ડાલુ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપ ડાલાના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મળતી માહિતી મુજબ, શિહોરીથી થરા તરફ જઈ રહેલા વાહનો દરમિયાન આગળ ચાલી રહેલા ટ્રેઇલરની પાછળ જીપ ડાલુ અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, જીપ ડાલાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં ચાલકને સામાન્ય પ્રકારની ઇજાઓ (મૂઢમાર) પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા અને શિહોરી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ટ્રાફિક વ્યવસ્થા સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા–ભીલડી–શિહોરી–થરા–રાધનપુર નેશનલ હાઈવે પર હાલમાં સમારકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક સ્થળોએ માર્ગ એક માર્ગીય બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક વાહન ચાલકો દ્વારા ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરાતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ માંગ કરી છે કે જોખમી સ્થળોએ પૂરતા ચેતવણી સૂચક બોર્ડ, ગતિમર્યાદાના નિર્દેશો તેમજ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ તાત્કાલિક ઉભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર માર્ગ સુરક્ષા અંગે કેટલું ઝડપી અને અસરકારક પગલું ભરે છે ?

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર