રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2025| Super Admin

થરાદના માંગરોળ પાસે ભારતમાળા પરથી ટ્રેલર નીચે ખાબક્યું; બે ને ઇજા

થરાદના માંગરોળ પાસે ભારતમાળા પરથી ટ્રેલર નીચે ખાબક્યું; બે ને ઇજા

રવિવારે થરાદના માંગરોળ નજીક ભારતમાલા હાઈવે પર એક ગંભીર અકસ્માતમાં ટ્રેલર રોડ પરથી નીચે પટકાતાં ચાલક સહિત બે ને ઇજા થવા પામી હતી. જો કે સદનસીબે નીચે કોઇ વાહન કે માણસોની અવરજવર નહી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.પ્રાપ્ય માહિતી મુજબ રવિવારે સાંચોર તરફથી પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતાં બેકાબુ બનીને સીધં જ સર્વિસ રોડ પર પટકાયું હતું.આ દુર્ઘટનામાં ટ્રક ચાલક અને તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે માંગરોળમાં આઇશ્રી શેણલ માતાજીનું પ્રખ્યાત મંદીર હોવાના કારણે દિવસભર લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ આ વખતે સદનસીબે નીચે કોઇ વાહન કે માણસોની અવરજવર નહી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સંબંધિત સમાચાર