રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસામાં રાજમંદિર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત ટ્રકની અડફેટે મહિલાનું કરૂણ મોત

ડીસામાં રાજમંદિર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત ટ્રકની અડફેટે મહિલાનું કરૂણ મોત

ડીસા શહેરના હૃદયસમા રાજમંદિર સર્કલ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકની અડફેટે આવતા શારદાબેન અમરતભાઈ લુહાર નામની મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે. અકસ્માતની વિગત એવી છે કે ડીસાની ધરતી રેસીડેન્સીમાં રહેતા શારદાબેન રાજમંદિર સર્કલ નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બેફામ પણે પસાર થઈ રહેલી ટ્રકે અચાનક શારદાબેનને ટક્કર મારી હતી. જેથી જમીન પર પટકાતા શારદાબેનને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ડીસા દક્ષિણ પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મૃતક મહિલાની લાશને પીએમ અર્થે મોકલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શારદાબેનના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળની આજુબાજુ ઓવરબ્રિજ પૂરો થતો હોઇ મોટી સંખ્યામાં રોંગ સાઈડે વાહનો આવતા હોય છે. તેમજ રસ્તાની સાઈડ પર પણ ધૂળના થર જામેલા હોઇ તેમજ રસ્તો તૂટેલો હોઇ અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા સફાઈ કરવા કે રસ્તો પહોળો કરવાની કોઈ તસ્દી લેવાતી નથી.તેથી લોકોમાં રોષ છવાયો છે.

સંબંધિત સમાચાર