રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ માં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા નું ઝુલુસ નીકાળવામાં આવ્યું

અમીરગઢ ગામમાં મહોરમ પર્વ દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ પર્વમાં અમીરગઢ ના મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજિત તાજીયા નું ઝુલુસ નિકાળવામાં આવે છે. આ પર્વની ઉજવણી શાંતિપૂર્વક માહોલમાં અને શ્રદ્ધા પૂર્વક કરવામાં આવી હતી. આ ઝુલુસની અમીરગઢ ની હુસેની મસ્જિદ થી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાં થી ચાંદની ચોક તેમજ ચબૂતરા ચોક અને મકરાણી વાસ થઈ ને ગ્રામ પંચાયત તરફ થી પરત આવી ને તાજીયા ને ઠંડા કરવા (દફનવિધિ) માટે ઇદગાહમાં લઈ જવામાં આવ્યા હતા. મહોરમ પર્વ ઇસ્લામ ધર્મના મહાન વીર ઇમામ હુસેન અને તેમના 72 નિર્દોષ સાથીઓના કરબલા ખાતે થયેલા બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેને અધર્મે વિરુદ્ધ લડતા ભૂખ અને તરસ સહન કરીને હક અને સત્ય માટે શહીદી આપી હતી. તેમની યાદમાં મહોરમ પર્વ ઉજવવામાં આવે છે. મહોરમ પર્વ નિમિત્તે ઝુલુસ ના સમયે ઠેર ઠેર પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ તેમજ સરબત નું મુસ્લિમ બિરાદરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યા એ કોમી એકતા ના દર્શન પણ જોવા મળી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક યોજાયો હતો. ઝુલુસમાં એકતા અને સદભાવના નો સુંદર સંદેશો પ્રસરી રહ્યો હતો. અને સાથે સાથે કોઈ અનિચ્છનીય કોઈ બનાવના બને તે માટે અમીરગઢ પોલીસ ખડેપગે પોતાની જવાબદારી નિભાવી રહી હતી. તે સમયે અમીરગઢ પોલીસની ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર