વાવ માં છેલ્લા એક મહિના થી વિફરેલા કપિરાજે 10 થી વધુ લોકો ને ઘાયલ કર્યા

વન વિભાગ ની ધીમી કામગીરી ને લઈ લોકો એ નારાજગી દર્શાવી મામલતદાર કચેરી એ આવેદનપત્ર પાઠવ્યું.
છેલ્લા એક મહિના થી સરહદી વાવ શહેરમાં વિફરેલા વાનરે દશ થી વધુ લોકો ને ઘાયલ કર્યા છે. ત્યારે ગતરોજ ફરી પાછા એક વૃદ્ધ મહિલા સહિત બે લોકો ને બચકાં ભરતાં થરાદ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. તેવા માં વાવના ચાર વાસ વિસ્તારના લોકોએ વન વિભાગના જવાબદાર અધિકારી ને ફોન કરવા છતાં ફોન રિશિવ કર્યો ન હતો. જેથી કરી નારાજ ગ્રામજનો એ વાવ મામલતદાર કચેરી ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું. કે છેલ્લા એક માસ થી વાવ શહેર વિસ્તારમાં વિફરેલા વાનરે 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં આ વિફરેલો વાનર વન વિભાગ ને તાબે થતો નથી. વન વિભાગની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે ગ્રામ જનોના જણાવ્યા અનુસાર આગામી 10 જૂન થી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્ર શરૂ થનાર હોઈ કોઈ નાના બાળક ને આ વિફરેલા વાનરે ફાડી નાખ્યું તો જવાબદારી કોની.
જોકે લોક મુખે થતી ચર્ચા મુજબ છેલ્લા એક માસ થી વિફરેલા વાનરે વાવ શહેરમાં આંતક મચાવી 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં હજુ સુધી વન વિભાગના રેન્જર ઓફિસર વાવ શહેરમાં ફરકયા પણ નથી. વન વિભાગની ટિમ રેસ્કયુ કરી આ વિફરેલા વાનર ને તાત્કાલિક પીંજરે પુરે તેવી લોકોની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ અઘટિત ઘટના ઘટી તો જવાબદાર વન વિભાગ ની રહેશે તેવું લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
ટેગ્સ:#Mamlatdar Office#public safety#injuries#Forest Department#Emergency Response#Local Governance#Animal Control#Community Complaints#Animal Rescue#Villager protests#School Safety#Wildlife Management#Vav City#Resident Concerns
સંબંધિત સમાચાર
બનાસકાંઠાચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર 'સીલિંગ': અમીરગઢ અને અંબાજી છાપરી બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ
1 દિવસ પહેલા
બનાસકાંઠાટેટોડા હાઈવે પર સનસનાટી : અમદાવાદના વેપારીઓ લૂંટારુઓના નિશાને, ધોળે દિવસે થયેલી લૂંટથી જિલ્લા પોલીસ દોડતી થઈ
1 દિવસ પહેલા
