રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

છેલ્લા 24 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ

છેલ્લા 24 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે. વરસાદી માહોલ વચ્ચે આજે ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે. રાજકોટથી શ્રી અંબા ખોડિયાર મંદિરથી નીકળેલો આ સંઘ છેલ્લા 24 વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારતો રહ્યો છે. લગભગ 400 કિલોમીટરથી વધુનું અંતર 12 દિવસની પદયાત્રા કરીને સંઘ અંબાજી પહોંચ્યો હતો. સંઘના પદયાત્રીઓએ મા અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા તેમજ તલવારબાજી રજૂ કરી હતી. સંઘના આયોજક હરીશભાઈ પરમારે જણાવ્યું કે, પહેલા આ યાત્રા સામાન્ય રીતે ડ્રેસ કોડ વિના થતી હતી, પરંતુ ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે દર વર્ષે પદયાત્રીઓ 12 દિવસ સુધી રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના દર્શનાર્થે આવે છે. આ અનોખી પરંપરા સાથે પદયાત્રા કરતાં ભક્તોને કોઈ થાક અનુભવાતો નથી અને માં અંબાના દર્શન સમયે નવી ઊર્જાનો અનુભવ થાય છે. મા અંબાના આશીર્વાદથી રાજકોટનો આ સંઘ દર વર્ષે વિશિષ્ટ ઉત્સાહ સાથે પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે અને ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવે છે.

સંબંધિત સમાચાર