રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા1 જૂન, 2025| Super Admin

ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો "એક શામ ગૌમાતા કે નામ" યોજાયો

ડીસામાં બનાસકાંઠા અને પાટણની ગૌશાળાઓના લાભાર્થે ભવ્ય લોકડાયરો "એક શામ ગૌમાતા કે નામ" યોજાયો
કલાકાર કીર્તિદાન ગઢવીએ ભજનોની રમઝટ જમાવી; શનિવારે રાત્રે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ગૌશાળાઓના લાભાર્થે "એક શામ ગૌમાતા કે નામ" શીર્ષક હેઠળ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મમય કાર્યક્રમમાં દિગંબર ૧૦૦૮ ખુશાલભરતી મહારાજે વિશેષ ઉપસ્થિતિ આપી હતી, જેનાથી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ થઈ હતી. આ લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ગૌભક્તોએ મનભરીને માણી હતી. કિર્તીદાન ગઢવીના સૂરીલા અવાજ અને ભક્તિમય રજૂઆતે વાતાવરણને ભક્તિભાવથી તરબોળ કરી દીધું હતું. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગૌભક્તોએ ગૌમાતા પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવતા ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. આયોજક પી.એન.માળી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ડાયરા થકી એકત્ર થયેલી તમામ ધનરાશિ બનાસકાંઠા તેમજ પાટણની ગૌશાળાઓને ગૌમાતાના કલ્યાણ અને સંરક્ષણ અર્થે અર્પણ કરવામાં આવશે. પી.એન. માળી ફાઉન્ડેશનના આ પ્રશંસનીય પ્રયાસથી ગૌસંરક્ષણ અને ગૌશાળાઓના સંવર્ધનને વેગ મળશે, જે સાચા અર્થમાં ધર્મ અને સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ સમાન છે. આ કાર્યક્રમ સમાજમાં ગૌભક્તિ અને દાનની ભાવનાને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યો હતો.

સંબંધિત સમાચાર