નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં એક દુ:ખદ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, નાશિકના ડિંડોરી તાલુકામાં એક કાર કૂવામાં પડી ગઈ હતી, જેમાં નવ લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાંના બધા જ દરગોડે પરિવારના સભ્યો છે. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી.
અકસ્માતમાં ભોગ બનેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં રેશ્મા સુનીલ દરગુડે (27), આશા અનિલ દરગુડે (32), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (14), શ્રેયસ અનિલ દરગુડે (11), રાખી/ગુણવંતી સુનીલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (11), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7), માધુરી અનિલ દરગુડે (13) અને સુનીલ દત્તુ દરગુડે (32)નો સમાવેશ થાય છે. બધા મૃતકો નાસિક જિલ્લાના તાલુકા ડિંડોરી, ઇન્દોરના રહેવાસી હતા. સ્થાનિક નાગરિકોની મદદથી, વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને ડિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે.
અહેવાલ મુજબ દરગુડે પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે, ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો અને કાર સીધી કૂવામાં પડી ગઈ. એક જ પરિવારના આટલા બધા સભ્યોના મૃત્યુથી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં સાત વર્ષની છોકરી સહિત છ બાળકોનો સમાવેશ થાય છે. સુનીલ દરગુડે, તેમની પત્ની અને તેમની પુત્રીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્રના નાસિકમાં દુ:ખદ અકસ્માત: કાર કૂવામાં પડી જતાં 9 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયસરકારે મેટાને એક વાંધાજનક ઇન્સ્ટાગ્રામ જાહેરાત અંગે નવી નોટિસ જારી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેતન હત્યા કેસમાં મળ્યા પુરાવા, 'કોડ વર્ડ્સ અને ઉપનામો', સિયા અને ચેતને ફોન પર કેવી રીતે કરતા હતા વાત?
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરના પ્રસાદ ચોરી વિવાદ પર RSSની પહેલી પ્રતિક્રિયા
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયATS ને મળી મોટી સફળતા, રાજ્યમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ
1 દિવસ પહેલા
