રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો
વૃક્ષારોપણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માન:લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, પ્રશસ્તિ પત્ર એનાયત તથા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. સાંસદ,ધારાસભ્યઓ,અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી. મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. વિધાર્થીઓ તથા એન.સી.સી કેડેટ સાથે મળીને મહાનુભાવોએ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, પાણી સંવર્ધન, વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું. આગામી તબક્કે તારીખ ૬ થી ૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાના ૧૪ તાલુકા તથા ૨૨૫ ગામોમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે. જેમાં ૨૯,૫૦૦ રોપાઓનું વાવેતર તથા ૫૯,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર