રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો
વૃક્ષારોપણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માન:લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, પ્રશસ્તિ પત્ર એનાયત તથા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. સાંસદ,ધારાસભ્યઓ,અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાની નેમ લેવડાવી હતી. મહાનુભાવોના હસ્તે સામાજિક વનીકરણ વિભાગમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિભાગની યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. વિધાર્થીઓ તથા એન.સી.સી કેડેટ સાથે મળીને મહાનુભાવોએ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણનું જતન, પાણી સંવર્ધન, વૃક્ષ આચ્છાદન વધારવા અંગે વિવિધ આગેવાનો દ્વારા પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું. આગામી તબક્કે તારીખ ૬ થી ૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાના ૧૪ તાલુકા તથા ૨૨૫ ગામોમાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે. જેમાં ૨૯,૫૦૦ રોપાઓનું વાવેતર તથા ૫૯,૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર