રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 એપ્રિલ, 2025| Super Admin

ડીસાના ગાયત્રી મંદિર પાસે કંસ્ટ્રક્શન સાઈટ ઉપર ખોદકામ સમયે દિવાલ ધસી પડતા મહિલાનું મોત

ડીસાના ગાયત્રી મંદિર પાસે કંસ્ટ્રક્શન સાઈટ ઉપર ખોદકામ સમયે દિવાલ ધસી પડતા મહિલાનું મોત

ડીસાના ગાયત્રી મંદિર પાસે એક કંસ્ટ્રક્શન સાઈટ ઉપર જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન દિવાલ ધસી પડતા બાજુના રોડ પર પસાર થઇ રહેલ એક મહિલા દિવાલ નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જયારે તેની સાથે બે બાળકીનો બચાવ થયો હતો. તે મંદિરની પાસે ચાલી રહી હતી ત્યારે અચાનક જર્જરિત દિવાલ ધસી પડતાં તના કાટમાળ નીચે દટાઈ જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મંદિરની આસપાસ ઘણી જર્જરિત દિવાલો આવેલી છે, જેના કારણે અવારનવાર ભય રહેતો હતો. તંત્ર દ્વારા આ દિવાલોની યોગ્ય મરામત કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ જર્જરિત બાંધકામોની સલામતી અંગે સવાલ ઉભા કર્યા છે.

સંબંધિત સમાચાર