સેવાભાવી યુવાનોએ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહીની ઉગ્ર માગ કરી
પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં ગેરકાયદેસર રીતે બિછાવેલી માછલી પકડવાની જાળને સ્થાનિક સેવાભાવી યુવાનોએ હટાવી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમણે તંત્ર સમક્ષ માગ કરી છે કે, ઐતિહાસિક સરોવરની પવિત્રતા અને જળચર જીવોની સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે. તેમજ જાહેર જળાશયમાં જાળ નાખનારા અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવે.
આ ગાઉ પણ સિદ્ધિ સરોવરમાં કેટલાક શખ્સો દ્વારા જાળ નાખી જળચર જીવોને પકડવાની કોશિશ કરાઈ હતી, પરંતુ જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેમને બચાવી લેવાયા હતા. આજે ફરી જાળ નાખવામાં આવી હતી, જેમાં એક કાચબો ફસાતા તેનું મોત થયું હતું, જોકે અન્ય જળચર જીવોને બચાવી લેવાયા હતા.





