થરાદના માધવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરલાઇન ઉભરાતાં રહીશો અને રાહદારીઓ ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરાતાં રહીશોએ ભારે આક્રોશ સાથે રોષે ભરાયા હતા.નગરજનોને ભારે ત્રાસદાયક સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હોવાના કારણે ગટરલાઇનની ખરેખર જવાબદારી કોની છે અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતાં ગંદા પાણી મુખ્ય માર્ગની વચ્ચે ભરાઇ રહ્યું છે.રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્રના આંખ આડા કાનના પરિણામે વાસ મારતું ગંદું પાણીના જાહેરમાં ભરવાથી ભારે રોગચાળાની દહેશત સાથે લોકોમાં ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે. આ અંગે નગરપાલિકામાં રજુઆત કરાતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા છતાં પણ તેનો યોગ નિકાલ નહી થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.






