રખેવાળ
બ્રેકિંગ
રમતગમત14 ઑગસ્ટ, 2025

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે, જાણો...

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે, જાણો...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આરામ પર છે. ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની લાંબી શ્રેણી પૂર્ણ થયા બાદ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હાલમાં આરામ કરી રહ્યા છે. અગાઉના શેડ્યૂલ મુજબ, ટીમ ઇન્ડિયા ઓગસ્ટમાં બાંગ્લાદેશ જવાની હતી, પરંતુ આ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. એટલે કે ભારતીય ટીમ ઓગસ્ટ દરમિયાન કોઈ મેચ રમશે નહીં, પરંતુ આગામી અઠવાડિયું ખૂબ જ રસપ્રદ બની શકે છે, કારણ કે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. આ વખતે T20 ફોર્મેટમાં રમાનારો એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે, ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે રમાશે. એટલે કે બધી ટીમોની જાહેરાત ઓગસ્ટના અંતમાં કરવામાં આવશે. આ વખતે એશિયા કપની બધી મેચ દુબઈ અને અબુધાબીમાં રમાશે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 19 કે 20 ઓગસ્ટે કરવામાં આવશે. આ વાત PTIના એક રિપોર્ટ દ્વારા જાણવા મળી છે. ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે તે મોટાભાગે પસંદગી સમિતિને ઈજાગ્રસ્ત અથવા ભૂતકાળમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહેલા ખેલાડીઓના રિપોર્ટ ક્યારે મળે છે તેના પર નિર્ભર રહેશે. જો રિપોર્ટ મોડા મળે તો ટીમની જાહેરાત પણ થોડી મોડી થઈ શકે છે. ખાસ કરીને બધાની નજર સૂર્યકુમાર યાદવ પર રહેશે, જે તાજેતરમાં જર્મનીથી ઓપરેશન કરાવીને પરત ફર્યા છે. જોકે તેણે નેટ્સ પર જઈને પોતાની બેટિંગની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ NCA દ્વારા રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.

સંબંધિત સમાચાર