પાટણ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ૬ માર્ગોનું સમારકામ હાથ ધરાયુ
રાજ્યના નાગરિકોને અવર જવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા પાટણ જિલ્લામાં ચોમાસામાં વરસાદના કારણે ક્ષતિ ગ્રસ્ત થયેલ ૬ માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાંસા સરિયદ સાંપ્રા ઉંદરા રોડ, પ્રભુ નગર પાટણ, પાટણ ચાણસ્મા હાઇવે રોડ જીવન ધારા સોસાયટી, ગુંગડી પાટી, થરા હારીજ માંકા, પાટણ ઊંઝા રોડ સહિતના માર્ગોનું માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા સમારકામ હાથ ધરાયુ છે. જેના કારણે નાગરિકો માટે મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બની રહેશે. રાજ્ય સરકાર અને પાટણ વહીવટી તંત્ર દ્વારા માર્ગ માળખા સુધારણા માટે વ્યાપક આયોજન થઈ રહ્યું હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.
ટેગ્સ:#Patan district#Public Works#Infrastructure Improvement#Traffic Safety#Road Maintenance#Roads and Building Department#Chief Minister Bhupendrabhai Patel#Local Government Initiatives#road repairs#District Collector Tushar Bhatt#Monsoon Damage#Citizen Accessibility
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
