વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો

બાંગલાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો
બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિધ્ધપુર ચારરસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રોષ વ્યક્ત કરી બાંગ્લાદેશનું પુતળા દહન કરી સરકાર પાસે ઉગ્ર માંગ કરી હતી. જો સરકાર દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર થતાં અત્યાચાર રોકવા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર અને જલદ આંદોલન સાથે ના કાર્યક્રમ આપવામાં આવશે. અને આ આંદોલન દરમિયાન કોઈ અધટિત ધટના સજૉશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી બાંગ્લાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. પાટણના સિધ્ધપુર ચાર રસ્તા નજીક આયોજિત કરવામાં આ કાર્યક્રમમાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
21 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
21 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
