રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા27 માર્ચ, 2025| Super Admin

માલગઢના ગામ લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું

માલગઢના ગામ લોકોએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું
જાહેર પ્રસંગોમાં અડચણરૂપ થતા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ; ડીસા તાલુકાના માલગઢ ગામમાં હોળીના પ્રસંગે હિંસક અથડામણની ઘટના બની હતી. જે મુદ્દે ગામ લોકોએ નાયબ પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. માલગઢ ગામના લોકોએ નાયબ પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે, ગામમાં કેટલાક ઈસમો જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બની રહ્યા છે. હોળીના દિવસે પણ આ ઈસમોએ હથિયારો સાથે હુમલો કરીને ગામ લોકો સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે.આ ઉપરાંત ગામ લોકોએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓ દ્વારા વારંવાર ગામમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. તેઓ ગામના જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બને છે અને લોકો સાથે ખોટા ઝઘડાઓ કરે છે. ગામ લોકોએ પોલીસને વિનંતી કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

સંબંધિત સમાચાર