રખેવાળ
બ્રેકિંગ
એસ્ટ્રોલોજી31 જાન્યુઆરી, 2025

વારાણસીઃ ગંગા આરતીના આયોજન પર અસ્થાયી પ્રતિબંધ, આ કારણોસર લેવાયો નિર્ણય

વારાણસીઃ ગંગા આરતીના આયોજન પર અસ્થાયી પ્રતિબંધ, આ કારણોસર લેવાયો નિર્ણય
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમમાં સ્નાન કરવા માટે કરોડો લોકો આવી રહ્યા છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ પણ નજીકના જિલ્લાના બે મહત્વના સ્થળો અયોધ્યા અને વારાણસીના રામ મંદિરે પહોંચી રહ્યા છે. જેના કારણે આ બંને ધાર્મિક સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે માહિતી સામે આવી છે કે ભીડને જોતા વારાણસીમાં ગંગા આરતીના આયોજન પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે ભક્તોને સહયોગ માટે અપીલ કરવામાં આવી છે. ગંગા આરતી 5 ફેબ્રુઆરી સુધી સ્થગિત  ગંગોત્રી સેવા સમિતિના મેનેજમેન્ટે માહિતી આપી છે કે અનિવાર્ય કારણોસર, પ્રાચીન દશાશ્વમેધ ઘાટ પર આયોજિત થનારી ગંગા આરતી 5મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવી છે. સમિતિએ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને આ કામચલાઉ ફેરફારને સમજણપૂર્વક સ્વીકારવા અને ધીરજ રાખવાની અપીલ કરી છે. ભક્તો પાસેથી ધીરજ અને સહકારની અપેક્ષા આ ઉપરાંત અસ્સી ઘાટ અને અન્ય ઘાટ પર ગંગા આરતીનું આયોજન કરતી સમિતિઓએ પણ સામાન્ય જનતાને આ પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અને વૈકલ્પિક વ્યવસ્થાઓનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. કમિટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં જ સંજોગો અનુકૂળ થશે ત્યારે આરતીનું આયોજન પહેલાની જેમ જ શરૂ થશે. ગંગા આરતી ભક્તો માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક અનુભવ પણ છે, આવી સ્થિતિમાં સમિતિ તમામ ભક્તો પાસેથી ધીરજ અને સહકારની અપેક્ષા રાખે છે.

સંબંધિત સમાચાર